ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક વહેલી સવારે અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી સળગી ગઇ અને મૃત્યુ પામી. ક્યાં […]
Day: December 14, 2025
‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.’, જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો
નવસારીના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી. પટેલ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. નવસારીમાં આશાપુરા મંદિર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાના ભૂમિપૂજન કાર્યક્રમમાં આર.સી.પટેલ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટોણો મારતા કહ્યું કે, ‘તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું અમે કોડી લઈશું.’ નવસારીના વિજલપોરની હદ વિસ્તરમાં આવેલા પૈરાણિક શ્રી માથપુરી માતાજીના મંદિર […]
નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ
નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. નાંદોદ તાલુકાના મયાસી ગામમાં સભા પતાવી પરત ફરી રહેલા નિરંજન વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર 15થી 20 શખસોની ટોળકીએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસની કામગીરી સામે ગંભીર […]
તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે એક અનોખો રાજકીય વિવાદ સર્જાયો છે. નિઝર બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનીલ ગામીતે નેશનલ હાઈવે નંબર 53 પર પોતાની નવી હોટલ શરૂ કરી છે. રવિવારે (26મી ઓક્ટોબર) યોજાયેલા આ હોટલના ઉદઘાટન સમારોહમાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સાથે ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત પણ હાજર રહ્યા હતા. […]
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ ‘કેસરિયો’ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા […]
પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? ગત અઠવાડિયે એક ફાઇનાન્સ પેઢીના એજન્ટ બાઈક પર સવાર થઈને […]
SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજથી ઉત્તર ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’નું રણશિંગું ફૂંક્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ યાત્રાની શરુઆત કરી હતી. યાત્રાનો રૂટ અને કાર્યક્રમ આ જન […]
મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો
મહેસાણામાં ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક માનસિક તણાવમાં હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે કરી આત્મહત્યા મળતી માહિતી મુજબ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના ફાર્મહાઉસમાં ભરત માનસંગભાઈ કઠિયારા […]
દાંતામાં પોલીસ-ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી […]
પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર
પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, ‘પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. […]
