પાદરા નગર માં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રા માં લેજિમ તથા દંડ ના કરતબો એ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા પાદરા નગર ના રાજમાર્ગો પર ફરી હતી
હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે પાદરા ખાતે મરાઠ મિત્ર મંડળ અને શિવરાયા ગ્રુપ ધ્વારા ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે પાદરા ખાતે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, પાદરા ખાતે અંબાજી મંદિર ખાતે સવારે છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા નું પૂજન પુષ્પાંજલી કરવામાં આવી હતી સાથે દીપ પ્રવજલિત સાથે કાર્યક્રમ નો પ્રારભ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે પાદરા ચોક્સી બજાર ના અગ્રગણ્ય વેપારીઓ તથા પાદરા નગર ના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે નગર પાલિકા ના સદસ્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
બપોરે પાદરા ના અંબાજી મંદિરે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે પાદરા નગરના રાજમાર્ગો પર ફરી હતી, શોભાયાત્રા માં બાળકો એ વિવિધ વેશભૂષા સાથે છત્રપતિ શિવાજી મહારાજ નું પાત્ર રજૂ કરી ને શોભાયાત્રા માં જોડાયા હતા જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા સાથે યુવતીઓ તેમજ મહિલાઓ એ પણ લેજિમ નૃત્ય સાથે યુવતીઓ એ દંડ ધ્વારા વિવિધ કરતબો રજૂ કર્યા હતા જે શોભાયાત્રા માં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા નું અનેક સ્થળો એ સ્વાગત કરવામાં આવ્યું હતું, યોજાયેલા કાર્યક્રમ માં શોભાયાત્રા પાદરા ના ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરીષદ ધ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સહયોગ કર્યો હતો.
અંબાજી મંદિર થી શોભાયાત્રા અને છત્રપતિ શિવાજી ની પ્રતિમા ની આરતી તેમજ ગણેશ વંદના સાથે પ્રારંભ કરાવ્યો હતો.
માતૃરક્ષા ન્યૂઝ પાદરા




