Breaking News

પાદરા સંતરામ મંદિરમાંરામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાયો ગાદીપતિ પૂ મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી

ગોપાલ ચાવડા પાદરા

પાદરા સંતરામ મંદિરમાંરામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાયો
ગાદીપતિ પૂ મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી
ગુજરાતની તમામ સંતરામ મંદિરના મહંતશ્રી ઓ પધાર્યા, હજારોની મેદની દર્શન માટે,સાકર વર્ષાનો લાભ લેવા માટે ઉમટી
પાદરાના સંતરામ મંદિરમાં રજત મહોત્સવ અંતર્ગત ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં પાંચ દિવસ ના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ રામનવમી અનેક વર્ષોથી વાર્ષીક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે
જેમાં મંદિરને સુંદર શણગારવામાં આવ્યુ હતું
સવારથીજ મહિલા ભજન મંડળો ભજન ની ધૂન બોલાવતા હતા જેમાં પાદરાના પ્રસિદ્ધ રાધે મંડળ દ્વારા વેશભૂષા સાથે વિવિઘ પ્રસંગોને અનુરૂપ ભજન કીર્તન થતા હતા
જયારે વિવિઘ ગાદિ ઓથી પધારેલ સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને મહાઆરતી બાદ સાકર વર્ષા કરવામાં આવી હતી ભક્તો દ્વારા સાકાર ની પ્રસાદી મેળવવા પડાપડી થઈ હતી અને છેલ્લે મંદિરના ભક્તો દ્વાર મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર અંદાજીત એક કિલોમીટર કરતાં વધુ મોટી યાત્રા એ નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાતની ગાદી ઓના ટેબલો હાથ સાયકલ ઉપર મૂકવામાં આવ્યા હતા ઘોડા બગીઓ માં તમામ સંતો બિરાજમાન થયા વહેલી સવારે સમાધિ સ્થાનની પૂજા અર્ચના કરી યાત્રા નું પ્રસ્થાન થયું

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *