India
oi-Manisha Zinzuwadia
| Published: Wednesday, August 24, 2022, 11:19 [IST]
નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ નેતૃત્વ કરવા વિનંતી કરી છે. કોંગ્રેસ 21 સપ્ટેમ્બર સુધીમાં પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી માટે તેના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરશે. સોનિયા ગાંધીના નજીકના મિત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ સ્વાસ્થ્ય અને ઉંમરની ચિંતાઓને કારણે ફરીથી સત્તા સંભાળવા તૈયાર નથી. આવી સ્થિતિમાં પાર્ટી હવે બિન-ગાંધી અધ્યક્ષના નામ પર વિચાર કરી રહી છે.
બીજી તરફ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ગેહલોત આ વિચારને લઈને થોડા અસહજ છે. તેમણે તેમના અગાઉના વલણને પુનરાવર્તિત કર્યુ કે, ‘રાહુલ ગાંધી ‘સર્વસંમત’ પસંદગી છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે જ્યારે રાહુલ ગાંધી પાર્ટીની બાગડોર સંભાળશે ત્યારે જ કોંગ્રેસ પુનઃજીવિત થશે. તેમના વિના લોકો નિરાશ થશે અને લોકો ઘરે બેઠા રહેશે તો પાર્ટી નબળી પડશે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ દરેક વ્યક્તિની ભાવનાઓને માન આપીને જવાબદારી સંભાળવી પડશે.’
તેમણે વધુમાં કહ્યુ હતુ કે અમે તેમના પર પક્ષના વડાનુ પદ સંભાળવા માટે દબાણ કરવાનુ અને સમજાવવાનુ ચાલુ રાખીશુ. જ્યારે અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાના મીડિયા રિપોર્ટ્સ આવ્યા ત્યારે તેમણે કહ્યુ કે હું મીડિયા પાસેથી આ સાંભળી રહ્યો છુ, મને તેના વિશે કંઈ ખબર નથી. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે હું નિભાવી રહ્યો છુ.
ગેહલોતને મળ્યાના કલાકો બાદ કોંગ્રેસે માહિતી આપી હતી કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા સાથે તેમના મેડિકલ ચેકઅપ માટે અને તેમની બીમાર માતાને મળવા માટે વિદેશ જઈ રહ્યા છે. વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય દિગ્વિજય સિંહે સ્વીકાર્યુ કે જો રાહુલ ગાંધી પાર્ટીના વડા બનવા માંગતા ન હોય તો તેમને દબાણ કરી શકાય નહિ.
ભારત જોડો યાત્રા કરશે શરુ
કોંગ્રેસે જાહેરાત કરી છે કે 7 સપ્ટેમ્બરથી કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરશે. આ મામલે જયરામ રમેશે જણાવ્યુ હતુ કે 80 વર્ષ પહેલા આ દિવસે, મહાત્મા ગાંધીના નેતૃત્વ અને પ્રેરણા હેઠળ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી, જેણે 5 વર્ષ પછી દેશને આઝાદી અપાવી હતી. આ પદયાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 3,500 કિલોમીટરનુ અંતર કાપશે અને લગભગ 150 દિવસમાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાગ લેશે.
-
ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો, વરિષ્ઠ નેતા નરેશ રાવલ- રાજુ પરમાર બીજેપીમાં જોડાયા
-
આજથી દેશભરમાં મોંઘવારી-બેરોજગારી સામે કોંગ્રેસનુ હલ્લા-બોલ, 28મીએ દિલ્લામાં વિશાળ રેલી
-
જમ્મુ કાશ્મીરમાં વધ્યો આંતર્કલેશ, ગુલામ નબીના રાજીનામા બાદ પાર્ટી હાઈકમાન્ડ પર ગંભીર આરોપ
-
બિહાર કેબિનેટ વિસ્તરણ: નીતિશ કુમારે પોતાની પાસે રાખ્યો ગૃહ વિભાગ, જાણો તેજસ્વીને શું મળ્યું?
-
દલિત વિદ્યાર્થીના મોતથી કોંગ્રેસના ધારાસભ્ય પાનાચંદ મેઘવાળ વ્યથિત, CM ગેહલોતને મોકલ્યું રાજીનામું
-
આઝાદીના અમૃત મહોત્સવની જાહેરાતમાંથી નહેરુ ‘આઉટ’, સાવરકરની એન્ટ્રી
-
‘ભાજપશાસિત કર્ણાટકમાં સરકારી નોકરી મેળવવા માટે મહિલાઓને કોઈની સાથે સૂવુ પડે છે’, કોંગ્રેસનો દાવો
-
ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીનાં દેવાં માફ કરશે!
-
ગૌમાતા માટે જીવ જોખમમાં મુકનાર કોંગ્રેસના કાર્યકર પર પોલીસ કેસ પાછો ખેંચવા માંગ
-
રક્ષાબંધન પર રાજસ્થાનમાં મહિલાઓ માટે ફ્રીમાં યાત્રાની સુવિધા, ગેહલોતે પંજાબના સીએમ માન સાથે કરી વાત
-
ગુજરાતમાં AAPનો પગપેસરો કોંગ્રેસ-ભાજપના મૃત્યુઘંટ સમાન?
-
નીતિશ કુમાર CM, તેજસ્વી DyCM અને સ્પીકર કોંગ્રેસના રહેશે, જાણો બિહારની નવી સરકારનો ફોર્મ્યુલા
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.
Allow Notifications
You have already subscribed
English summary
Sonia Gandhi offered Ashok Gehlot National President of Congress
Story first published: Wednesday, August 24, 2022, 11:19 [IST]