Breaking News

પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત ૧૧ વર્ષથી અવિરત ચાલતો સંઘ પુનમ દિવસે રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિભકતોએ હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રધ્ધાભેર ધજારોહણ કયું હતું .

.

પાદરા ગોપાલ ચાવડા

સાઢા,, હસમુખ પરમાર

પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત ૧૧ વર્ષથી અવિરત ચાલતો સંઘ પુનમ દિવસે રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિભકતોએ હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રધ્ધાભેર ધજારોહણ કયું હતું .
સાંઢા ગામમાંથી હરસિધ્ધિ માતાજીના માઇભક્તોનો સંઘ દર વર્ષે ૨૨ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જુની પરંપરા મુજબ રાજપીપલા મંદિરે પગપાળા જતા હોય છે જેને લઈને આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘમાં ગયો હતો જે ૨૫ ફેબ્રુઆરીના દિવસે રાજપીપલા હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતો.મંદિરમાં હોમ હવન વિધિ કરવામાં આવી હતી આ હોમ હવન વિધિ માં પગપાળા તેમજ દર્શનાર્થી જોડાયા હતા.હવનકુડમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદક્ષિણા કરી મંદિરના ધુમંટ પર ધજા ચડાવવામાં આવી હતી.આ સમગ્ર પગપાળા સંઘનુ સંચાલન માતાજીના ભુવાજી જશુભાઈ પરમાર તેમજ સાંઢા હરસિધ્ધિ મંદિર કાર્યકર્તા કરી રહ્યા હતા.મહાપસાદી બાદ પગપાળા યાત્રાળુઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
-રાજપીપલા હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર માઈભક્તો ધજા રહ્યા છે.

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *